TICKER

6/recent/ticker-posts

Teaser release of The Battle Story of Somnath: મહમૂદ ગઝનવીના આક્રમણ પર આધારિત ફિલ્મ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ નુ ટિઝર રીલીઝ

Teaser release of The Battle Story of Somnath: આજે કિલ્મ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ થઇ ચુક્યું છે. નિર્માતાઓએ શનિવારે એનિમેટેડ ટીઝર રિલીઝ કરીને ફીલ્મની જાહેરાત કરી હતી. ઈ.સ 1025 માં મહમૂદ ગઝનવીએ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર પર કરેલા હુમલા અંગેની ફીલ્મ સ્ટોરી છે 

Teaser release of The Battle Story of Somnath: મહમૂદ ગઝનવીના આક્રમણ પર આધારિત ફિલ્મ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ


સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. 

આ એકમાત્ર એવું યુદ્ધ હતું જે સામાન્‍ય લોકોએ મળીને લડ્યું હતું. આ યુદ્ધમાં 50 હાજરથી વધુ લોકો માર્યા ગયા હતા.ગઝનવીએ સોમનાથ મંદિરમાંથી 20 લાખ દિનારની સંપત્તિ લૂંટી હોવાનું કહેવાય છે. ગઝનવીએ મંદિરની અનેક મૂર્તિઓ અને શિવલિંગ પણ તોડી નાખ્યું હતું. ફીલ્મના ટીઝરમાં આક્રમણ બાદ કરેલા પુનઃનિર્માણની વાત પણ કરાઈ છે. છેલ્લે ભારતના પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

મહત્વનું છે કે, 2 idiot ફિલ્મ્સ અને મનીષ મિશ્રા દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મને અનૂપ થાપા દ્વારા લખવામાં અને ડાયરેક્ટ કરવામાં આવી છે.


ટીઝરમાં પ્રથમ જ્યોતિર્લિંગની કથા બતાવવામાં આવી છે

ટીઝરમાં નિર્માતાઓએ ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગની કથા દર્શાવી છે. એવું કહેવામાં આવે છે કે સતયુગમાં ચંદ્રદેવે તેને સોનામાંથી બનાવ્યું હતું. આ પછી રાવણે ત્રેતાયુગમાં તાંબાનું બનાવેલું અને પછી દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણએ તેને લાકડાનું બનાવ્યું.

12 ભાષાઓમાં રિલીઝ થશે The Battle Story of Somnath

તેનું નિર્માણ '2 ઇડિયટ ફિલ્મ્સ' અને મનીષ મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે, આ ફિલ્મ અનૂપ થાપા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. તે 12 ભાષાઓમાં રિલીઝ થશે.


ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'નું ટીઝર જોવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments