How much water should be drunk: આપણે બધા જ જાણીએ છીએ કે સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવુ ખૂબ જ જરૂરી છે, કારણ કે પાણી પીવાથી માત્ર ડિહાઇડ્રેશનની સમસ્યા દૂર થાય છે એવું નથી. પરંતુ એની સાથે સાથે કબજિયાત અને શરીર સાથે જોડાયેલી અન્ય ઘણી બીમારીઓ માંથી પણ છુટકારો મળે છે.
આ બાબતે આયુર્વેદનાં એક્સપર્ટ ડૉ ધન્વન્તરિ કુમાર ઝા દ્વારા આપવામાં આવેલી સલાહ પ્રમાણે દરરોજના 8થી10 ગ્લાસ પાણી પીવું જોઈએ. ઉનાળામાં આપણને વધારે તરસ લાગે છે, જેના કારણે આપણે શક્ય એટલું વધારે પાણી પીવાનું રાખીએ છીએ. પણ જેમ-જેમ મોસમ બદલાય છે, અને વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધારે થાય છે તેમ-તેમ આપણે પાણી પીવાનું પ્રમાણ ઘટાડી દઈએ છીએ.
શિયાળામાં અને ચોમાસામાં લોકો ઓછું પાણી પીવે છે
તમે ઘણી વખત એ વાત નોટિસ કરી હશે કે ગરમી કે ઉનાળાના દિવસોમાં આપણને જેટલી તરસ લાગે છે, એટલી તરસ આપણને શિયાળામાં કે ચોમાસાના દિવસોમાં લાગતી નથી. પરિણામે શિયાળામાં, ચોમાસામાં લોકો ઓછું પાણી પીવે છે. પરંતુ તેમ છતાં ડિહાઇડ્રેશનની સમસ્યા અનુભવાતી નથી. પણ એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે જો તમને તરસ ન લાગી રહી હોય તો તમે પાણી પણ ન પીવો, ત્યારે આ મોસમાં આપણને કેટલું પાણી પીવું જોઈએ તેવો સવાલ થાય છે.
આપણા શરીરમાં 70 ટકા જેટલું પાણી હોય છે ?
આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરમાં 70 ટકા જેટલું પાણી હોય છે. જ્યારે શરીરમાં પાણીની અછત વર્તાય છે ત્યારે ડીહાઇડ્રેશનને કારણે કોશિકાઓ એટલે કે સેલ્સ સંકોચાઈ જાય છે અને તે યોગ્ય રીતે કામ પણ નથી કરતાં, એટલે આ સેલ્સને યોગ્ય રીતે કામ કરવા માટે કોશિકાઓને ભરપૂર પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. આપણે દરેક ઋતુમાં પણ હાઈડ્રેટ રહેવું એ ખૂબ જ જોઈએ.
દરરોજ 3 કે સાડા ત્રણ લિટર પાણી પીવું જોઈએ ?
ચોમાસામાં કેટલું પાણી પીવું જોઈએ જેથી કોઈ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમના થાય.જો તમને પિત્તની સમસ્યા સતાવતી હોય તો તમારે દરરોજ 3 કે સાડા ત્રણ લિટર પાણી પીવું જોઈએ, એના કારણે તમારું શરીર કૂલ રહે છે. જો તમને કફ રહેતો હોય તો તમે કુદરતી રીતે પાણીને શોષી લો છો. જો તમને વાત હોય તો તમને આખો દિવસ તરસ ન લાગે અને પછી થાક લાગે. વાની સમસ્યાઓ ધરાવનારાઓ માટે દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી વાતને દૂર કરે છે. તે પિત્ત દોષને સંતુલિત કરે છે અને કફને વધતા અટકાવે છે.
તરસ ના લાગી હોય તો પણ પાણી પીવું જોઈએ ?
ઉનાળો હોય કે શિયાળો દરેક ઋતુમાં પૂરતી માત્રામાં પાણી પીવું જોઈએ, કારણ કે બદલાતી ઋતુની સાથે સાથે અન્ય બીમારીઓનું જોખમ પણ વધે છે અને તેનાથી બચવામાં પાણી ખૂબ જ મદદ કરે છે. પાણી પીવાથી તમારું શરીર હાઇડ્રેટેડ રહે છે. ઈમ્યુનિટીને પ્રોત્સાહન મળે છે. શરીરમાંથી ટોક્સિન્સ એટલે કે ઝેરીલા પદાર્થને બહાર કાઢવામાં મદદ મળે છે. લીવર, પેટ અને કિડની સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે. જો તરસ ન લાગી હોય તો પણ પોતાને હાઈડ્રેટ રાખવા માટે પાણી જરૂર પીવું જોઈએ.
અન્ય માહિતી માટે | અહી ક્લિક કરો |
વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા | અહી ક્લિક કરો |
0 Comments